Amreli: બગસરામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ! પાણીનો વેડફાટ કરનારા સામે કાર્યવાહીની માગ

Feb 8, 2025 - 13:00
Amreli: બગસરામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ! પાણીનો વેડફાટ કરનારા સામે કાર્યવાહીની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બગસરા શહેરના મુખ્ય માર્ગો ઉપર ભરશિયાળે ચોમાસા જેવો માહોલ..મુખ્ય માર્ગો ઉપર પાણીનો બગાડ થતા વેપારીઓ દુકાનદારો પરેશાન..શહેરની નાનીબજાર હવેલી ચોક જૂની પોસ્ટ ઓફીસ તેમજ સથવારા ચોક પાસે રોજ બરોજ ની સમસ્યા..પાણીનો વેડફાટથી વેપારીઓ ત્રાહિત થઈ પાલિકાને કરી લેખિત રજુઆત..પાણીના વેડફાટ કરતા લોકો સામે કાર્યવાહી કરવા વેપારીઓએ માગ  કરી છે. પાલિકા ચીફ દ્વારા સ્થાનિક લોકોને પાણીનો વ્યય ન કરવા કરાઈ હતી અપીલ છતાં પ્રશ્ન યથાવત છે.

બગસરા શહેર આમતો નગરપાલિકા શાસન ધરાવતું શહેર છે પરંતુ આ બગસરા શહેરની જે અમુક બજારો છે તે નાની બજાર હવેલી ચોક હવેલી જવા માટેનો જે રસ્તો છે સથવારા ચોક જે રસ્તા ઉપર પાણીનો વ્યય નદીની માફક વહેતો જોવા મળે છે આ પાણી જે લોકોના ઘરની અંદર પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી છે જે પાણી નો એટલો બધો વ્યય થાય છે કે આપ બજારો ની અંદર વેપારીઓને પરેશાનીઓ થઈ રહી છે. વેપારીઓ પોતાના રોજગાર ધંધે જતા હોય તો પોતાના પગ પાણીમાંથી પસાર થવું પડે છે ત્યારે હવેલી એ પણ જતા આવતા દર્શનાર્થીઓને પણ આવા પ્રાણીઓમાંથી પસાર થવું પડે છે. લાંબા સમયથી આ ચાલતી પરેશાની વેપારીઓના હવે મુશ્કેલી બની છે અને વેપારીઓએ પાલિકા સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી છે કે અમને આ ત્રાસથી મુક્તિ અપાવો.

પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવેલી હતી પરંતુ આજ દિન સુધી અહીંયા કોઈ પણ પ્રકારનું પાણીના ફેરફાર પર નિયંત્રણ આવ્યું નથી અને જે તે પ્રશ્ન યથાવત જ જોવા મળ્યો છે ત્યારે અહીંના વેપારીઓમાં આજે રોજ જોવા મળ્યો છે અને આ પાણીના વેડફાટ નો કોઈ રસ્તો નહીં નીકળે તો વેપારીઓએ ગાંધીજીએ માર્ગે આંદોલન કરવાની ચીમકીઓ ઉચ્ચારી છે હવે જોવાનું એ રહેશે કે વેપારીઓને આંદોલન તરફ વળવાનું રહેશે કે પાલિકા સત્તાધીશો આ પાણીના કર્તા વ્યય સામે કોઈ પગલાઓ લેશે એ સમય બતાવશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0