Air india Plane Crash: અટકળો ન લગાવશો..અમેરિકાના આ મોટા ઑફિસરનું નિવેદન

Jul 19, 2025 - 12:30
Air india Plane Crash: અટકળો ન લગાવશો..અમેરિકાના આ મોટા ઑફિસરનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશ થઇ. પ્લેનમાં સવાર 242માંથી 241ના મોત થયા. આ દુર્ઘટના કેમ બની તેના અલગ અલગ કારણો જણાવવામાં આવી રહ્યા છે. અટકળો અલગ અલગ લગાવવામાં આવે છે. ત્યારે આ ઘટનાને 1 મહિનો પૂર્ણ થતા પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર થયો હતો. જે અંગે અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડનું નિવેદન સામે આવ્યું છે.

અમેરિકાના આ ઑફિસરનું નિવેદન 

અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના પ્રમુખ જેનિફર હોમેંડીએ આ રિપોર્ટને ઉતાવળો અને અનુમાન આધારિત ગણાવ્યો ચે. તેમણે કહ્યું કે જે સમાચારો મળી રહ્યા છે તે અધૂરા અને તપાસ કર્યા પહેલાની અટકળો છે. ભારતની એર ક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યૂરોએ માત્ર પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે અને આ સ્તરની તપાસમાં સમય લાગે છે. 

રિપોર્ટમાં શું થયો ખુલાસો?

ઉલ્લેખનીય છે કે આ ઘટના એટલી ભયંકર હતી કે એક જ યાત્રીનો ચમત્કારિક રીતે જીવ બચ્યો. શુક્રવાર અને શનિવારની વચ્ચે એટલે કે મોડી રાત્રે 1 વાગે રિપોર્ટ આવ્યો હતો. જેમાં કેટલાક ખુલાસા કરવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે ટેકઓફ સમયે ફ્લૅપ સેટિંગ (5 ડિગ્રી પર) અને લેન્ડિંગ ગિયર લીવર પોઝિશન એકદમ સામાન્ય અને ધોરણ મુજબ હતી. ઉપરાંત, AAIB એ એમ પણ કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં વિમાનમાં કોઈ કાવતરું કે તોડફોડના કોઈ સ્પષ્ટ પુરાવા બહાર આવ્યા નથી.

15 પાનાના રિપોર્ટમાં શું?

(AAIB) એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો ઓફ ઇન્ડિયાએ હવે અકસ્માતનું કારણ જાણવા માટે 15 પાનાનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ પ્રારંભિક રિપોર્ટ છે. તેમાં માત્ર ટેકનિકલ કારણો જ જાહેર થયા નથી, પરંતુ કોકપીટમાં છેલ્લી વાતચીતે ઘણા નવા પ્રશ્નો ઉભા કર્યા છે.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી, એન્જિનમાં ખામી સર્જાતા, વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થયું.

અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાનું આ વિમાન 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદ પ્લેન ક્રેશ થતા 260 લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અને 19 અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.

બંને એન્જિનનું ઇંધણ એકસાથે બંધ થઈ ગયું...

ટેકઓફ પછી તરત જ બંને એન્જિનના ઇંધણ કાપવાની સ્વીચો 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં ખસેડવામાં આવી. તે પણ ફક્ત એક સેકન્ડના અંતરે. આ પછી, બંને એન્જિનની થ્રસ્ટ ક્ષમતા સંપૂર્ણપણે ખસી ગઈ. ટેકઓફ પછી તરત જ, વિમાન સીધું અમદાવાદ સ્થિત મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું. જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું.

કોકપીટમાં ચોંકાવનારી વાતચીત

પાઇલટ્સ વચ્ચેની વાતચીત અકસ્માતની થોડીક સેકન્ડ પહેલા રેકોર્ડ થઇ હતી. એક પાઇલટે પૂછ્યું, તમે ઇંધણ કેમ બંધ કર્યું? બીજા પાઇલટે જવાબ આપ્યો, મેં એવું નથી કર્યું. રેકોર્ડ થયેલી આ વાતચીત ટેકનિકલ ખામી અથવા માનવ મૂંઝવણ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. ટેકઓફ થયાના થોડીવાર પછી સીસીટીવીમાં જોવા મળ્યું કે ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ (RAT) સક્રિય થઈ ગઈ છે અને આ ત્યારે જ થાય છે જ્યારે એન્જિન બંધ હોય છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0