Ahmedabadના માધુપુરામાં કાર ચાલકે 3થી 4 લોકોને લીધા અડફેટે, સર્જાયો હિટ એન્ડ રન જેવો અકસ્માત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ કાર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવીને ત્રણથી ચાર જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને મામલો ઉગ્ર બની ગયો હતો. માધુપુરા વિસ્તારમાં એક કાર ચાલકે પોતાનો કાબૂ ગુમાવી દેતાં રસ્તા પર ચાલી રહેલા કેટલાક લોકોને ટક્કર મારી હતી.
કારચાલકે 3થી 4 લોકોને અડફેટે લીધા
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ રોષે ભરાયેલા લોકોનું મોટું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. લોકોએ કાર ચાલકને પકડી પાડીને માર માર્યો હતો. એટલું જ નહીં ટોળાએ ગુસ્સામાં આવીને અકસ્માત સર્જનાર કારમાં પણ વ્યાપક તોડફોડ કરી હતી. જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક માધુપુરા વિસ્તારમાં દોડી આવ્યો હતો.
રોષે ભરાયેલા લોકોએ કારમાં કરી તોડફોડ
પોલીસે ટોળાને વિખેરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને કાર ચાલકને લોકોના રોષથી બચાવીને કસ્ટડીમાં લીધો હતો. હાલમાં પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગફલતભરી રીતે વાહન ચલાવવા અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?






