Ahmedabad: રથયાત્રામાં સૌ પ્રથમ વાર AIનો ઉપયોગ, ખાનગી ડ્રોનથી બાજ નજર રખાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 જૂને મંગલા આરતી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. ઓરિસ્સા પછી બીજી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. આ રથયાત્રામાં 20 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. ત્યારે વર્તમાન સ્થિતિને લઈને પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયો છે. રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથને જોવા લાખો ભક્તો આવે છે
રથયાત્રામાં ભગવાન જગન્નાથને જોવા લાખો ભક્તો આવે છે. તેમની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે.અમદાવાદની રથયાત્રામાં બેંગ્લોર જેવી ઘટના ના બને તે માટે પણ મદદ લેવામાં આવશે. ભીડમાં દોડાદોડથી કોઈ દુર્ઘટના ના બને તેની પણ કાળજી રાખવામાં આવશે. આ વખતે રથયાત્રામાં 20,000 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે.આજે સવારે પોલીસે રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે
રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી ભાગ લેશે. લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 45 ડ્રોનથી નજર રાખશે. 30 ખાનગી ડ્રોન પણ રૂટ પર બાજ નજર રાખશે. રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રાના રૂટ પર 3,200 CCTV કેમેરાથી સર્વેલન્સ કરાશે. રથયાત્રાના મુખ્ય પોઇન્ટ પર એન્ટી ડ્રોન તૈનાત રહેશે. 3,200 હિસ્ટ્રી શીટરના ડેટા સાથેનો કેમેરા લગાવાશે. આ વખતે ક્રાઉડ એલર્ટ, એન્ટી ડ્રોન એલર્ટ સિસ્ટમ વગેરે રાખવામાં આવી છે.
શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 148મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવપંકજ જોષી, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને મ્યુનસીપલ કમિશ્નર બંછાનિધી પાની તથા વરિષ્ઠ સચિવો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં 213 કરતાં વધુ સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, રથયાત્રાનો આ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
રથયાત્રામાં A.I.નો ઉપયોગ
આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. A.I.ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે. ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માતે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે. રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત 23,884થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.
મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ
મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે.સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1000 જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 23 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર
પોલીસ કમિશનરશ્રીએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ ઉપરાંત 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે. રથયાત્રાના રૂટ પર આવેલી 484 જેટલી જુની અને જર્જરીત ઈમારતો-મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે ન લે તે હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સુચક બોર્ડ તેમજ પતરાની આડશો મુકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના જે પગલા લેવામાં આવ્યા છે તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
What's Your Reaction?






