Ahmedabad પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી Gujarat College ખાતે યોજાશે

આવતીકાલે 4 જૂને થશે મતગણતરી1517 મતદાન મથકોની મતગણતરી ગુજરાત કૉલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાનની પણ ગણતરી થશે દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મતગણતરી 4 જૂનના રોજ યોજાશે. અમદાવાદની ગુજરાત કૉલેજ ખાતે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવનાર છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તારોના કુલ 1517 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી ગુજરાત કૉલેજ ખાતે યોજાશે. પોસ્ટલ બેલેટની ગણતરી પણ કરાશે 8-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર- ખાડિયા, મણિનગર, દાણીલીમડા, અસારવા સહિતના કુલ સાત વિધાનસભા મતવિસ્તારની મતગણતરી યોજવામાં આવશે, સાથે સાથે પોસ્ટલ બેલેટની ગણતરી પણ કરવામાં આવશે. કયા વિસ્તારની મતગણતરી કેટલા રાઉન્ડમાં ? એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારની મતગણતરી 16 રાઉન્ડમાં, અમરાઈવાડી વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં, દરિયાપુર વિધાનસભા વિસ્તારની મતગણતરી 14 રાઉન્ડમાં, જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારની મતગણતરી 15 રાઉન્ડમાં, મણિનગર વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં, દાણીલીમડા વિધાનસભા વિસ્તારની મતગણતરી 17 રાઉન્ડમાં અને અસારવા વિધાનસભા વિસ્તારની મતગણતરી 15 રાઉન્ડમાં યોજાશે. દરિયાપુર વિસ્તારની મતગણતરી સૌથી ઓછા રાઉન્ડમાં આમ, અમરાઈવાડી અને મણિનગર વિધાનસભા વિસ્તારોની મતગણતરી સૌથી વધુ 18 રાઉન્ડમાં અને દરિયાપુર વિધાનસભા વિસ્તારની મતગણતરી સૌથી ઓછા 14 રાઉન્ડમાં યોજાશે.

Ahmedabad પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી Gujarat College ખાતે યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલે 4 જૂને થશે મતગણતરી
  • 1517 મતદાન મથકોની મતગણતરી ગુજરાત કૉલેજ ખાતે
  • પોસ્ટલ બેલેટ મતદાનની પણ ગણતરી થશે

દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મતગણતરી 4 જૂનના રોજ યોજાશે. અમદાવાદની ગુજરાત કૉલેજ ખાતે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવનાર છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તારોના કુલ 1517 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી ગુજરાત કૉલેજ ખાતે યોજાશે.

પોસ્ટલ બેલેટની ગણતરી પણ કરાશે

8-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર- ખાડિયા, મણિનગર, દાણીલીમડા, અસારવા સહિતના કુલ સાત વિધાનસભા મતવિસ્તારની મતગણતરી યોજવામાં આવશે, સાથે સાથે પોસ્ટલ બેલેટની ગણતરી પણ કરવામાં આવશે.

કયા વિસ્તારની મતગણતરી કેટલા રાઉન્ડમાં ?

એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારની મતગણતરી 16 રાઉન્ડમાં, અમરાઈવાડી વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં, દરિયાપુર વિધાનસભા વિસ્તારની મતગણતરી 14 રાઉન્ડમાં, જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારની મતગણતરી 15 રાઉન્ડમાં, મણિનગર વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં, દાણીલીમડા વિધાનસભા વિસ્તારની મતગણતરી 17 રાઉન્ડમાં અને અસારવા વિધાનસભા વિસ્તારની મતગણતરી 15 રાઉન્ડમાં યોજાશે.

દરિયાપુર વિસ્તારની મતગણતરી સૌથી ઓછા રાઉન્ડમાં

આમ, અમરાઈવાડી અને મણિનગર વિધાનસભા વિસ્તારોની મતગણતરી સૌથી વધુ 18 રાઉન્ડમાં અને દરિયાપુર વિધાનસભા વિસ્તારની મતગણતરી સૌથી ઓછા 14 રાઉન્ડમાં યોજાશે.