Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં સાત્વિક પ્રસાદી ધરાવવાની અપીલ

Feb 15, 2025 - 19:30
Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં સાત્વિક પ્રસાદી ધરાવવાની અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિર પરિસરમાં પ્રસાદને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભદ્રકાળી મંદિરમાં પ્રસાદને લઈ બેનર લગાવવામાં આવ્યું છે. માતાજીના પ્રસાદની પવિત્રતા જાળવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માતાજીને સાત્વિક પ્રસાદી ધરાવવા માટે અપીલ કરવામાં આવી છે.

વિધર્મીઓ દ્વારા પ્રસાદમાં ભેળસેળની આશંકાને પગલે નિર્ણય લેવાયો

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાની ઘટના બાદ ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે. માતાજીને સાત્વિક અને સનાતન ધર્મના લોકોએ બનાવેલી પ્રસાદી ધરાવવા અપીલ કરી છે. વિધર્મીઓ દ્વારા પ્રસાદમાં ભેળસેળની આશંકાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 1 મહિના પહેલા મંદિરમાં અન્ય ધર્મના વ્યક્તિઓ દ્વારા બનાવાયેલી પ્રસાદ લાવવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિર આસપાસ નોનવેજનું વેચાણ બંધ કરાવવા રજૂઆત

ઉલ્લેખનીય છે કે ભદ્રકાળી મંદિર મુસ્લિમ વિસ્તારમાં આવેલું છે, જેથી શ્રદ્ધાળુઓ આવી દુકાનોમાંથી પ્રસાદ લાવતા હોય છે, મંદિર પરિસરની આજુબાજુમાં નોનવેજની વસ્તુઓના વેચાણ પર પણ પ્રતિબંધ કરાવવા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેવું ભદ્રાકાળી મંદિર ટ્રસ્ટના ચેરમેન શશીકાંત તિવારીએ જણાવ્યું છે.

26 ફેબ્રુઆરીએ નગરદેવી ભદ્રકાળી મંદિરની નીકળશે શોભાયાત્રા

તમને જણાવી દઈએ કે આગામી 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિનની ઉજવણી થશે. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રા નીકળશે. 26 ફેબ્રુઆરીએ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. કોટ વિસ્તારમાં નગરદેવીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અખાડા, ટેબલો,ભજન મંદિરો શોભાયાત્રામાં જોડાશે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહને પણ શોભાયાત્રાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0