Ahmedabad: ઇસ્કોનથી સાણંદ 530કરોડમાં બનનાર એલિવેટેડ બ્રિજથી દોઢ-લાખ વાહનચાલકને ફાયદો

આગામી બે વર્ષમાં કામ પૂરું થઇ જવાનો નેશનલ હાઇવે ઓથોરિટીનો દાવોYMCA, કર્ણાવતી, પ્રહલાદનગર તરફ જતાં વાહનચાલકો માટે રેમ્પ, બ્રિજની નીચે પાર્કિંગ સીંગલ (પીયર) થાંભલા પર બનનાર બ્રિજ પર કેમેરા અને આધુનિક ટેકનોલોજીથી વિશેષ આયોજન સાણંદથી ગાંધીનગર જવામાં વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઇસ્કોનથી સાણંદ સુધી રૂપિયા 530 કરોડમાં બનનાર 4 કિ.મી.6 લેન એલીવેટેડ બ્રિજથી દોઢ લાખ વાહન ચાલકોને ફાયદો થશે. એલીવેટેડ બ્રિજના લીધે વાહન ચાલકોને YMCA, કર્ણાવતી, પ્રહલાદ નગર સર્કલ નહીં નડે અને આ વિસ્તાર તરફ જતાં વાહન ચાલકો માટે રેમ્પ પણ બનશે. આગામી બે વર્ષમાં કામ પુરુ થઇ જવાનો ઓથોરિટીએ દાવો કર્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઇસ્કોનથી સાણંદ સુધીના ચાર કિ.મી. લાંબા એલીવેટેડ કોરીડોરથી 6 લેન અને 27 મીટર પહોળો હશે. સીંગલ (પીયર) થાંભલા પર બનનાર બ્રિજ પર કેમેરા અને આધુનિક ટેકનોલોજીથી વિશેષ આયોજન કરાશે. એટલું જ નહીં હાલ YMCA, કર્ણાવતી અને પ્રહલાદનગર સર્કલ પર ટ્રાફિકના લીધે ઘણીવાર ઘણો સમય જાય છે. જે બ્રિજ બન્યા પછી સર્કલ પરથી એલીવેટેડ બ્રિજથી સીધા ગાંધીનગર કે વચ્ચે આવતા વિસ્તારોમાં રેમ્પ મારફત જઇ શકાશે. બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા રહેશે. જેથી કરીને ખાણીપીણીના સ્ટોલ પર જવા માટે લોકો સરળતાથી પાર્કિંગ કરી શકશે. વિશાલાથી નારોલ અને નારોલથી સરખેજ એલિવેટેડ બ્રિજ માટે 1,200 કરોડ ખર્ચાશે વિશાલાથી નારોલ અને નારોલથી સરખેજ એલિવેટેડ બ્રિજ માટે રૂપિયા 1200 કરોડ ખર્ચાશે. હાલ વિશાલાથી નારોલના બ્રિજ પર હાલ સતત ટ્રાફિકની સમસ્યા રહે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મુખ્યબ્રિજ બંને બાજુ 6 અને 6 લેન મળી કુલ 12 લેનનો 500 મીટર લાંબો અને 42 મીટર પહોળો ઓવરબ્રિજ બનશે. તેવું જણાવતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ કહ્યું કે, ઓવરબ્રિજની સાથે નારોલથી વિશાલા થઇ સરખેજ સુધી 5 કિ.મી.નો એલિવેટેડ બ્રિજ બનવાથી દોઢ લાખ વાહન ચાલકોને સીધો ફાયદો થશે. જેમાં જુહાપુરા અને વેજલપુરના લોકોને નારોલ જવામાં ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. આ ઉપરાંત વાસણા, પાલડી અને વેજલપુરના લોકોને સરખેજ જવામાં પણ વિલંબ નહીં રહે. ટેન્ડરિંગ પ્રોસેસ થઇ ગઇ છે. ટુંકસમયમાં કામ ચાલુ થશે. આગામી 2027માં કામ પૂર્ણ થશે. ટ્રાફિક ઘટાડવા છારોડી નર્મદા કેનાલ પર રૂ.80 કરોડના ખર્ચે ઓવરબ્રિજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોતાથી વૈષ્ણદેવી પાસે છારોડી નર્મદા કેનાલ પરના બ્રિજ પર સતત ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. ઘણીવાર તો ટ્રાફિકના લીધે વધુ સમય જાય છે. ટ્રાફિક ઘટાડવા માટે છારોડી નર્મદા કેનાલ પર મુખ્ય બ્રિજની બંને બાજુ ચાર ચાર લેન મળી કુલ આઠ લેનનો રૂપિયા 80 કરોડના ખર્ચે 60 મીટર પહોળો ઓવરબ્રિજ બનશે. જેનું ટૂંકસમયમાં કામ શરુ થશે. બ્રિજના કારણે રોજ પસાર થતાં આશરે 25 હજાર વાહન ચાલકોને સીધો ફાયદો થશે. વૈષ્ણદેવી પાસે વીયુપી અન્ડરપાસ પણ બનશે.

Ahmedabad: ઇસ્કોનથી સાણંદ 530કરોડમાં બનનાર એલિવેટેડ બ્રિજથી દોઢ-લાખ વાહનચાલકને ફાયદો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આગામી બે વર્ષમાં કામ પૂરું થઇ જવાનો નેશનલ હાઇવે ઓથોરિટીનો દાવો
  • YMCA, કર્ણાવતી, પ્રહલાદનગર તરફ જતાં વાહનચાલકો માટે રેમ્પ, બ્રિજની નીચે પાર્કિંગ
  • સીંગલ (પીયર) થાંભલા પર બનનાર બ્રિજ પર કેમેરા અને આધુનિક ટેકનોલોજીથી વિશેષ આયોજન

સાણંદથી ગાંધીનગર જવામાં વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઇસ્કોનથી સાણંદ સુધી રૂપિયા 530 કરોડમાં બનનાર 4 કિ.મી.6 લેન એલીવેટેડ બ્રિજથી દોઢ લાખ વાહન ચાલકોને ફાયદો થશે. એલીવેટેડ બ્રિજના લીધે વાહન ચાલકોને YMCA, કર્ણાવતી, પ્રહલાદ નગર સર્કલ નહીં નડે અને આ વિસ્તાર તરફ જતાં વાહન ચાલકો માટે રેમ્પ પણ બનશે. આગામી બે વર્ષમાં કામ પુરુ થઇ જવાનો ઓથોરિટીએ દાવો કર્યો છે.

નેશનલ હાઇવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઇસ્કોનથી સાણંદ સુધીના ચાર કિ.મી. લાંબા એલીવેટેડ કોરીડોરથી 6 લેન અને 27 મીટર પહોળો હશે. સીંગલ (પીયર) થાંભલા પર બનનાર બ્રિજ પર કેમેરા અને આધુનિક ટેકનોલોજીથી વિશેષ આયોજન કરાશે. એટલું જ નહીં હાલ YMCA, કર્ણાવતી અને પ્રહલાદનગર સર્કલ પર ટ્રાફિકના લીધે ઘણીવાર ઘણો સમય જાય છે. જે બ્રિજ બન્યા પછી સર્કલ પરથી એલીવેટેડ બ્રિજથી સીધા ગાંધીનગર કે વચ્ચે આવતા વિસ્તારોમાં રેમ્પ મારફત જઇ શકાશે. બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા રહેશે. જેથી કરીને ખાણીપીણીના સ્ટોલ પર જવા માટે લોકો સરળતાથી પાર્કિંગ કરી શકશે.

વિશાલાથી નારોલ અને નારોલથી સરખેજ એલિવેટેડ બ્રિજ માટે 1,200 કરોડ ખર્ચાશે

વિશાલાથી નારોલ અને નારોલથી સરખેજ એલિવેટેડ બ્રિજ માટે રૂપિયા 1200 કરોડ ખર્ચાશે. હાલ વિશાલાથી નારોલના બ્રિજ પર હાલ સતત ટ્રાફિકની સમસ્યા રહે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મુખ્યબ્રિજ બંને બાજુ 6 અને 6 લેન મળી કુલ 12 લેનનો 500 મીટર લાંબો અને 42 મીટર પહોળો ઓવરબ્રિજ બનશે. તેવું જણાવતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ કહ્યું કે, ઓવરબ્રિજની સાથે નારોલથી વિશાલા થઇ સરખેજ સુધી 5 કિ.મી.નો એલિવેટેડ બ્રિજ બનવાથી દોઢ લાખ વાહન ચાલકોને સીધો ફાયદો થશે. જેમાં જુહાપુરા અને વેજલપુરના લોકોને નારોલ જવામાં ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. આ ઉપરાંત વાસણા, પાલડી અને વેજલપુરના લોકોને સરખેજ જવામાં પણ વિલંબ નહીં રહે. ટેન્ડરિંગ પ્રોસેસ થઇ ગઇ છે. ટુંકસમયમાં કામ ચાલુ થશે. આગામી 2027માં કામ પૂર્ણ થશે.

ટ્રાફિક ઘટાડવા છારોડી નર્મદા કેનાલ પર રૂ.80 કરોડના ખર્ચે ઓવરબ્રિજ

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોતાથી વૈષ્ણદેવી પાસે છારોડી નર્મદા કેનાલ પરના બ્રિજ પર સતત ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. ઘણીવાર તો ટ્રાફિકના લીધે વધુ સમય જાય છે. ટ્રાફિક ઘટાડવા માટે છારોડી નર્મદા કેનાલ પર મુખ્ય બ્રિજની બંને બાજુ ચાર ચાર લેન મળી કુલ આઠ લેનનો રૂપિયા 80 કરોડના ખર્ચે 60 મીટર પહોળો ઓવરબ્રિજ બનશે. જેનું ટૂંકસમયમાં કામ શરુ થશે. બ્રિજના કારણે રોજ પસાર થતાં આશરે 25 હજાર વાહન ચાલકોને સીધો ફાયદો થશે. વૈષ્ણદેવી પાસે વીયુપી અન્ડરપાસ પણ બનશે.