Ahmedabad News: રિવરફ્રન્ટ પર જાહેર મેળામાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક, ચોંકાવનારા ખુલાસા

એક્વેરિયમમાં મોટાભાગના નવા ફાયર સિલિન્ડર લગાવાયારાજકોટની ઘટના બાદ આયોજકોએ લગાવ્યા ફાયર સિલિન્ડર અમને જરૂર લાગી એટલે નવા સિલિન્ડર લગાવ્યા: આયોજક ગત શનિવારની બપોરે રાજકોટના TRP ગેમ ઝોનમાં ફાટેલી ભીષણ આગમાં 28 નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા. ત્યારે, 28 નિર્દોષોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર સેફટીને લઈને સતત તપાસ ચલાવવામાં આવી રહી છે. તો, એવા જાહેર સ્થળો જ્યાં પહેલા ફાયર સેફટી ન હતી ત્યાં પણ તાબડતોબ ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવી રહ્યા છે. તો, અમદાવાદમાં પણ ઠેર ઠેર ચાલી રહેલા મેળાઓ ખાતે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. હાલ શાળાઓ અને કોલેજોમાં ઉનાળુ વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો છે જેને લઈને શહેરના અનેક સ્થળોએ જાહેર મેળાઓ ચાલી રહ્યા છે. ત્યારે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવી રહેલા જાહેર મેળામાં ફાયર સેફટીના સાધનોને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ પર ચાલી રહેલા જાહેર મેળામાં સંદેશ ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું હતું કે મેળામાં રહેલા એક્વેરિયમમાં મોટા ભાગના નવા ફાયર સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. રાજકોટની ઘટના બાદ આયોજકોએ નવા ફાયર સિલિન્ડર લગાવ્યા છે. તો એક્વેરિયમમાં કેટલાંક જુના સિલિન્ડર પણ રાખવામાં આવ્યા હતા. તો, આ મામલે જ્યારે આયોજક મહેન્દ્ર પટેલને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા લૂલો બચાવ કરતાં નિવેદન આપવામાં આવ્યું હતું. આયોજકે જણાવ્યું હતું એમને જરૂર લાગી એટલે નવા સિલિન્ડર લાવ્યા છીએ.

Ahmedabad News: રિવરફ્રન્ટ પર જાહેર મેળામાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક, ચોંકાવનારા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક્વેરિયમમાં મોટાભાગના નવા ફાયર સિલિન્ડર લગાવાયા
  • રાજકોટની ઘટના બાદ આયોજકોએ લગાવ્યા ફાયર સિલિન્ડર
  • અમને જરૂર લાગી એટલે નવા સિલિન્ડર લગાવ્યા: આયોજક

ગત શનિવારની બપોરે રાજકોટના TRP ગેમ ઝોનમાં ફાટેલી ભીષણ આગમાં 28 નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા. ત્યારે, 28 નિર્દોષોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર સેફટીને લઈને સતત તપાસ ચલાવવામાં આવી રહી છે. તો, એવા જાહેર સ્થળો જ્યાં પહેલા ફાયર સેફટી ન હતી ત્યાં પણ તાબડતોબ ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવી રહ્યા છે. તો, અમદાવાદમાં પણ ઠેર ઠેર ચાલી રહેલા મેળાઓ ખાતે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું.

હાલ શાળાઓ અને કોલેજોમાં ઉનાળુ વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો છે જેને લઈને શહેરના અનેક સ્થળોએ જાહેર મેળાઓ ચાલી રહ્યા છે. ત્યારે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવી રહેલા જાહેર મેળામાં ફાયર સેફટીના સાધનોને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

રિવરફ્રન્ટ પર ચાલી રહેલા જાહેર મેળામાં સંદેશ ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું હતું કે મેળામાં રહેલા એક્વેરિયમમાં મોટા ભાગના નવા ફાયર સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. રાજકોટની ઘટના બાદ આયોજકોએ નવા ફાયર સિલિન્ડર લગાવ્યા છે. તો એક્વેરિયમમાં કેટલાંક જુના સિલિન્ડર પણ રાખવામાં આવ્યા હતા. તો, આ મામલે જ્યારે આયોજક મહેન્દ્ર પટેલને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા લૂલો બચાવ કરતાં નિવેદન આપવામાં આવ્યું હતું. આયોજકે જણાવ્યું હતું એમને જરૂર લાગી એટલે નવા સિલિન્ડર લાવ્યા છીએ.