Ahmedabad: AMCનું 'મિશન 4 મિલિયન ટ્રી' કે પછી પ્લાન્ટેશનના નામે ધુપ્પલ?

May 31, 2025 - 18:30
Ahmedabad: AMCનું 'મિશન 4 મિલિયન ટ્રી' કે પછી પ્લાન્ટેશનના નામે ધુપ્પલ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એક તરફ દિવસે દિવસે આકરી ગરમી પડી રહી છે અને બીજી તરફ વિકાસના નામે વૃક્ષોના નિકંદન નીકળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિશન 4 મિલિયન ટ્રીના નામે પ્રોજેક્ટ ચલાવે છે, પરંતુ તેની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. વિપક્ષ દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે કે છેલ્લા 3 વર્ષમાં સત્તાધારી પક્ષ દ્વારા શહેરમાં અલગ અલગ સ્કીમના નામે 70 લાખથી વધારે વૃક્ષ રોપ્યા છે. જે પૈકી 26 લાખ 83 હજાર જેટલા વૃક્ષ બળીને ખાક થઈ ગયા એટલે કે લગભગ 66 ટકા જેટલો જ સક્સેસ રેશિયો થયો છે.

મનપા આગામી સમયમાં મિશન 4 મિલિયન ટ્રી પ્રોજેક્ટ લોન્ચ કરશે

આ ત્રણ વર્ષમાં મનપાએ વૃક્ષના વાવેતરના નામે 66 કરોડનો ખર્ચ કર્યો એટલે કે એક વૃક્ષ પાછળ 93 રૂપિયા જેટલો ખર્ચ થયો અને નુક્શાનની વાત કરીએ તો આશરે 23 કરોડનું નુકશાન થયું છે. મનપા ઘણા કિસ્સામાં માત્ર સિંગલ ટેન્ડર આધારે કરોડો રૂપિયાના કામ આપી રહી છે જે નિયમ વિરુદ્ધ છે તો બીજી તરફ સત્તાધારી પક્ષ એટલાથી સંતોષના થયો હોય એમ હવે આગામી સમયમાં મિશન 4 મિલિયન ટ્રી પ્રોજેક્ટ લોન્ચ કરશે, જે પૈકી 21 લાખ વૃક્ષના છોડ ખરીદવા, પાંજરા મુકવા, 2 વર્ષ સુધી પાણી આપવું અને ખાતર માટે થઈને 83 કરોડની માતબર રકમનો ખર્ચ મનપા કરશે. એટલે કે એક વૃક્ષ પાછળ સરેરાશ 395 રૂપિયાનો ખર્ચ મનપા કરશે.

મનપાની કામગીરી પર ઉઠી રહ્યા સવાલો

કરોડો રૂપિયાના ખર્ચ બીજી તરફ લાખોની સંખ્યામાં વૃક્ષ બળી રહ્યા છે તેમ છતાં સતાધારી પક્ષ વાહવાહી લૂંટી રહ્યું છે અને કહી રહ્યું છે કે સકસેસ રેશિયો 88 ટકા છે માત્ર 12 ટકા વૃક્ષ બળી રહ્યા છે. સરકારના આંકડા મુજબ તો વૃક્ષ રોપણમાં 60 ટકા જ સક્સેસ રેશિયો છે. આટલો માતબર ખર્ચ કર્યા બાદ પણ વૃક્ષો બળી રહ્યા હોવાના આરોપને નકારવામાં આવી રહ્યા છે. આ તો માત્ર વૃક્ષારોપણની વાત થઈ અને જેમાં કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. ઉદ્દેશ ચોક્કસ સારો છે પરંતુ અયોગ્ય પદ્ધતિ અને કાળજીના અભાવના કારણે લાખોની સંખ્યામાં વૃક્ષ બળી રહ્યા છે તો બીજી તરફ ટેન્ડર પ્રક્રિયા જે રીતે કરવામાં આવી તેને લઈને પણ અનેક સવાલો મનપાની કામગીરી પર ઉઠી રહ્યા છે, ત્યારે આખરે પ્રજાના ટેક્સના પૈસાનું આ રીતે વેડફાટ કેમ તે સવાલ છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0