Ahmedabad AEC બ્રિજ પાસે આવેલ ફિઝિયોથેરાપી ક્લિનિકમાં નોકરી કરતી યુવતીનો આપઘાત
નારણપુરામાં આવેલા AEC બ્રિજ પાસે એક ફિઝિયોથેરાપી ક્લિનિકમાં સોમવારે વહેલી સવારે એક યુવતીએ આત્મહત્યા કરી હતી. જેના પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પૂર્વ મંગેતરે યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ બાદમાં તેને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ થઇ જતા યુવતી સાથે સગાઇ તોડી નાંખી હોવાથી તે ડિપ્રેશનમાં રહેતી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ વીથ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આરોપી પૂર્વ મંગેતરની ધરપકડ કરી છે.શહેરમાં રહેતી એક યુવતી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરીને નારણપુરાના AEC બ્રિજ પાસે એક ક્લિનિકમાં નોકરી કરતી હતી.તેની સગાઈ નાના ચિલોડામાં રહેતા હોમિયોપેથીક તબિબ સાથે થઇ હતી. તે યુવક કરાઇ પોલીસ એકેડમી પાસે પોતાનું ક્લિનિક ચલાવે છે. સગાઇ બાદ બન્ને એકબીજાને મળતા અને ફરવા જતા હતા ત્યારે યુવકે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતા યુવતીએ ના પાડી દિધી હતી. જે બાદ યુવકે સગાઇ તોડી નાંખવાની ધમકીઓ આપીને યુવતીની મરજી વિરૂદ્ધમાં દુષ્કર્મ આચર્યુ હતુ. 3 મહિના પહેલા યુવતીએ સમગ્ર બાબતની ચર્ચા પરિવારજનોને કરી હતી. જે બાદ યુવકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતુ.
![Ahmedabad AEC બ્રિજ પાસે આવેલ ફિઝિયોથેરાપી ક્લિનિકમાં નોકરી કરતી યુવતીનો આપઘાત](https://epapercdn.sandesh.com/images/2025/02/12/nfF2whn8J4opFIadwRDX4fXb7W0qkK7IH6md8aIH.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નારણપુરામાં આવેલા AEC બ્રિજ પાસે એક ફિઝિયોથેરાપી ક્લિનિકમાં સોમવારે વહેલી સવારે એક યુવતીએ આત્મહત્યા કરી હતી. જેના પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પૂર્વ મંગેતરે યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ બાદમાં તેને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ થઇ જતા યુવતી સાથે સગાઇ તોડી નાંખી હોવાથી તે ડિપ્રેશનમાં રહેતી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ વીથ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આરોપી પૂર્વ મંગેતરની ધરપકડ કરી છે.
શહેરમાં રહેતી એક યુવતી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરીને નારણપુરાના AEC બ્રિજ પાસે એક ક્લિનિકમાં નોકરી કરતી હતી.તેની સગાઈ નાના ચિલોડામાં રહેતા હોમિયોપેથીક તબિબ સાથે થઇ હતી. તે યુવક કરાઇ પોલીસ એકેડમી પાસે પોતાનું ક્લિનિક ચલાવે છે. સગાઇ બાદ બન્ને એકબીજાને મળતા અને ફરવા જતા હતા ત્યારે યુવકે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતા યુવતીએ ના પાડી દિધી હતી. જે બાદ યુવકે સગાઇ તોડી નાંખવાની ધમકીઓ આપીને યુવતીની મરજી વિરૂદ્ધમાં દુષ્કર્મ આચર્યુ હતુ. 3 મહિના પહેલા યુવતીએ સમગ્ર બાબતની ચર્ચા પરિવારજનોને કરી હતી. જે બાદ યુવકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતુ.