Ahmedabad: ગુજરાતમાં એક મહિનામાં 15 દર્દીઓ સ્વાઈન ફ્લૂની ઝપેટમાં

Feb 15, 2025 - 01:30
Ahmedabad: ગુજરાતમાં એક મહિનામાં 15 દર્દીઓ સ્વાઈન ફ્લૂની ઝપેટમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સ્વાઈન ફલૂના નવા 15 કેસ સામે આવ્યા છે, સારવાર બાદ આ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલેથી રજા આપવામાં આવી છે, એક પણ દર્દીનું મોત થયું નથી, જે રાહતની વાત છે. એકંદરે અત્યારે સ્વાઈન ફલૂના કેસનું પ્રમાણ ઘટયું છે. બીજી તરફ અમદાવાદની સિવિલ અને સોલા સિવિલમાં પણ આવા કેસનું પ્રમાણ નહિવત છે, સોલા સિવિલમાં શંકાસ્પદ કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં મોટા ભાગના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગુજરાતમાં કેલેન્ડર વર્ષ 2024માં એચ1એન1 એટલે કે સ્વાઈન ફલૂના કુલ 1,711 કેસ અને 55 દર્દીનાં મોત નોંધાયા છે. આ અગાઉ વર્ષ 2023માં 212 કેસ અને ત્રણ દર્દીનાં મોત થયાં હતા. વર્ષ 2022માં 2,174 કેસ સાથે 71 મોત, વર્ષ 2021માં 33 કેસ સાથે 2 મોત, વર્ષ 2020માં 55 કેસ સાથે બે મોત, વર્ષ 2019માં 4,844 કેસ સાથે 151 મોત અને વર્ષ 2018માં 2,164 કેસ સાથે 97 દર્દીઓનાં મોત નોંધાયા હતા. તબીબોનું કહેવું છે કે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેવા દર્દીઓ સ્વાઈન ફલૂની ઝપટે જલદી આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0