સુરતની સંસ્થા જમ્મુ કાશ્મીરના મહામંડલેશ્વર સાથે મળી ભંડારો ચલાવે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આવતીકાલથી 3 જુલાઈથી જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતમાં જે યાત્રા થાય છે તેમાં યાત્રાળુઓને સુવિધા માટે સંખ્યાબંધ ભંડારા શરુ થાય છે. પરંતુ ટેસ્ટના શોખીન સુરતીઓ અને ગુજરાતીઓને પોતિકો ટેસ્ટ મળી રહે તે માટે સુરતની એક સંસ્થાએ પ્રાચિન ભંડારા સાથે મળીને છેલ્લા 27 વર્ષથી યાત્રાળુઓને ગુજરાતી ટેસ્ટ સાથે ભંડારામાં ભોજન પીરસી રહી છે. આવતીકાલ 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરતથી રસોડાનો સામાન લઈને પહલગામ ખાતે આવેલા ચંદનવાડી નુનવાડી પહોંચી ગયા છે. સુરતની સંસ્થાના 20થી વધુ સ્વયંસેવક યાત્રાના અંત સુધી સેવા આપીને યાત્રાળુઓને ગુજરાતી ભોજન આપશે.
What's Your Reaction?






