વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વરિયાવમાં ખુલ્લી વરસાદી ગટરમાં પડી બે વર્ષના માસૂમ કેદાર જાધવનો જીવ ગયા બાદ સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના મોટા મોટા દાવા કર્યા હતા, પરંતુ દોઢ વર્ષમાં જ એ તમામ માત્ર થોડા સમય માટે જ હોવાનું પાલનપુર લેક ગાર્ડન સાબિત કરી રહ્યું છે. પાલનપોર લેક ગાર્ડન ફરતે દિવાલ બનાવવામાં આવી છે પરંતુ આ દિવાલમાં મોતનો દરવાજો જેવી મોટા ગાબડાના કારણે બની ગઈ છે. આ મોતનું ગાબડુ ચોમાસા પહેલાં જ નવી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું છે. રોજ બાળકો અને સ્થાનિકોની અવરજવર વચ્ચે પણ તંત્રની આંખ ખુલી રહી નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે વરિયાવ જેવી કરુણ ઘટના બાદ પણ મહાનગરપાલિકાએ કોઈ બોધપાઠ લીધો હોય તેવું દેખાતું નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

