વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં બળવો, ચાર સભ્યોને સસ્પેન્ડ કરવા કાર્યવાહી

Sinor Taluka Panchayat : વડોદરા જિલ્લાની સિનોર તાલુકા પંચાયતમાં ભાજપાની જૂથબંધીને કારણે પ્રમુખ સામે બળવો થયો હતો. પરંતુ ભાજપના આગેવાનોએ હાલ પૂરતી સ્થિતિ સંભાળી લીધી છે. વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં કુલ 15 સભ્યોમાંથી ભાજપ પાસે 11 સભ્યો છે. જ્યારે કોંગ્રેસના ચાર સભ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખની વરણી થઈ તે જ વખતે જૂથબંધીનુ પ્રદર્શન થયું હતું. પરંતુ તે વખતે બળવાખોરોને મનાવી લેવામાં આવ્યા હતા. ગઈકાલે શિનોર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી પરંતુ તે દરમિયાન કોઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ ન થઈ હતી. આજે ભાજપના ચાર બળવાખોર તેમજ કોંગ્રેસના ચાર સભ્યોએ ભેગા મળીને પ્રમુખ  અર્ચનાબેન રાય સામે અવિશ્વાસની દરખાસ્ત તૈયાર કરી હતી. જોકે આ દરખાસ્ત માટે દસ સભ્યોની સહી જરૂરી હોવાથી અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચાર બળવાખોરોને સસ્પેન્ડ કરવા માટે પ્રદેશ મોવડીઓને જાણ કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં બળવો, ચાર સભ્યોને સસ્પેન્ડ કરવા કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Sinor Taluka Panchayat : વડોદરા જિલ્લાની સિનોર તાલુકા પંચાયતમાં ભાજપાની જૂથબંધીને કારણે પ્રમુખ સામે બળવો થયો હતો. પરંતુ ભાજપના આગેવાનોએ હાલ પૂરતી સ્થિતિ સંભાળી લીધી છે. 

વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં કુલ 15 સભ્યોમાંથી ભાજપ પાસે 11 સભ્યો છે. જ્યારે કોંગ્રેસના ચાર સભ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખની વરણી થઈ તે જ વખતે જૂથબંધીનુ પ્રદર્શન થયું હતું. પરંતુ તે વખતે બળવાખોરોને મનાવી લેવામાં આવ્યા હતા. 

ગઈકાલે શિનોર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી પરંતુ તે દરમિયાન કોઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ ન થઈ હતી. આજે ભાજપના ચાર બળવાખોર તેમજ કોંગ્રેસના ચાર સભ્યોએ ભેગા મળીને પ્રમુખ  અર્ચનાબેન રાય સામે અવિશ્વાસની દરખાસ્ત તૈયાર કરી હતી. 

જોકે આ દરખાસ્ત માટે દસ સભ્યોની સહી જરૂરી હોવાથી અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચાર બળવાખોરોને સસ્પેન્ડ કરવા માટે પ્રદેશ મોવડીઓને જાણ કરવામાં આવી છે.