'નાણાંની જવાબદારી ફકત મારી જ હતી', અમદાવાદમાં ગરબા આયોજકે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ મળી આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : નવરાત્રિમાં અમદાવાદના વિવિધ પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન મંગળવારે(30 સપ્ટેમ્બર) અમદાવાદના હાથીજણ સર્કલ નજીક વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કરનાર એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના નવરાત્રિની નવમી રાત્રે બની હતી, જેના કારણે ગરબા કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવ્યો હતો. ગરબા આયોજકે વટવા GIDCમાં આવેલી ફેબ્રિકેશનની દુકાનમાં આપઘાત કરી હતી. ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, ત્યારે પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ આદરી છે.
What's Your Reaction?






