જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : ચાર સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Crime : જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા ઉપરાંત સેન્ટીંગ કામ કરતા એક યુવાન પર જુની અદાવતના કારણે ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના કિસાન ચોક વિસ્તારમાં ઢોલીયા પીરની દરગાહ પાસે રહેતો અને રિક્ષા ચલાવતો તેમજ સેન્ટીંગ કામ કરતો સાજીદ વલી મોહમ્મદભાઈ નામના 42 વર્ષનો યુવાન ગઈકાલે મહાપ્રભુજીને બેઠક પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન જૂની અદાવતનું મનદુ:ખ રાખીને પરેશભાઈ સતવારા અને તેના ત્રણ અજાણા સાગ્રીતોએ રીક્ષા ચાલકને રોકીને ઢોર માર માર્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલા સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને ચારેય હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
What's Your Reaction?






