અમદાવાદની 90 ટકા હોટેલ-રેસ્ટોરાં પાસે પેસ્ટ કંટ્રોલના સર્ટિફિકેટ જ નથી: અવારનવાર જીવાતોથી ગ્રાહકો કંટાળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: અમદાવાદમાં ઓક્ટન્ટ પીઝા રેસ્ટોરન્ટમાં ગુલાબજાંબુની ચાસણીમાં જીવડું નીકળતા કોર્પોરેશન દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં એવી હતી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલથી માંડીને નાની હોટેલ અને રેસ્ટોરન્ટમાં જીવાતો નીકળવાની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની કુલ 3628 ખાણીપીણીની હોટેલ, રેસ્ટોરેન્ટસ અને સ્ટ્રીટ ફૂડના રજીસ્ટર્ડ આઉટલેટમાંથી માત્ર 10 ટકા હોટેલોએ પણ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ મેળવ્યું છે. ત્રણ હજારથી વધુ હોટલોમાં જીવાતોને નિયંત્રિત કરવાની કોઈ પોલીસી નથી. માત્ર મૌખિક જ ધ્યાન રાખવાનું જણાવી દેવામાં આવે છે.
What's Your Reaction?






