સુરતમાં જાહેર સ્થળોએ અકસ્માતના બનાવ રોકવા માટે પાલિકાની SOPના અમલની તૈયારી, ભીડ એકઠી થતી 7600 મિલ્કતો જુદી તારવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Corporation : રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકારે 50 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય તેવી મિલ્કતોને ઓળખી અને તેના માટે SOP તૈયાર કરવા માટે તાકીદ કરી હતી. સુરત પાલિકાએ આ માટે SOP બનાવીને તે માટે સર્વેની કામગીરી પણ લગભગ પુરી કરી દીધી છે. પાલિકાના સર્વે હાલ આખરી તબક્કામાં છે ત્યારે પાલિકાએ શહેરમાં 50 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય તેવી 7600 જેટલી મિલ્કતોને પાલિકાએ જુદી તારવી લીધી છે અને તેમની પાસેથી હવે પાલિકાએ બનાવેલી SOP માટે બાંહેધરી લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. પાલિકાએ બનાવેલી SOP બાદ કોઈ દુર્ઘટના થાય તો બાહેધરી આપનારા મિલકતદારો સાથે સાથે સ્થળ વિઝીટ કરનારા કર્મચારીઓની પણ જવાબદારી નક્કી થઈ શકે છે.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી જેમાં 50 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય તેવા પ્રકારની તમામ જગ્યાઓ માટે SOP બનાવવા માટે તાકીદ કરવામાં આવી હતી.
What's Your Reaction?






