સુરતમાં 9 વર્ષ પહેલાં બનાવેલા બ્રિજનું 7 કરોડના ખર્ચે રિહેબીલીટેશન કરવાનો નિર્ણય ચર્ચાનો વિષય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Bridge : વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી વચ્ચે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરત સહિત રાજ્યના બિસ્માર બ્રિજ રીપેર કરવા માટેની માગણી થઈ રહી છે. પરંતુ સુરતમાં એક એવો બ્રિજ છે જે પાલિકાના બીઆરટીએસ વિભાગે 9 વર્ષ પહેલા બન્યો છે અને તેમાં સમયાંતરે રીપેરીંગની કામગીરી પણ થઈ છે. તેમ છતાં 9 વર્ષ બાદ આ બ્રિજ સાત કરોડના ખર્ચે રિહેબીલીટેશન કરવા માટેનો નિર્ણય થયો છે. આગામી એકાદ બે દિવસમાં વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે. માત્ર નવ વર્ષના ટુંકા ગાળામાં સુરતમાં એવી તો કઈ ટેક્નોલોજીથી બ્રિજ બનાવવામાં આવ્યો છે કે હવે સાત કરોડના ખર્ચે રિહેબીલીટેશન થશે તે ચર્ચા શરૂ થઈ છે.
What's Your Reaction?






