સુરતના 'પાકિસ્તાની મહોલ્લા'નું નામ બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લો' કરાયું, જાણો કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: સુરત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે. ત્યારે સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલા એક મહોલ્લાનું નામ 'પાકિસ્તાન મોહલ્લા'થી બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લો' કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મહોલ્લો લખાઈને આવતું હતું, ત્યારે હવે આ નામકરણ બાદ હિન્દુસ્તાની મહોલ્લો લખવામાં આવે તેવી સ્થાનિકોને આશા છે.
જોકે, સુરત પાલિકાએ 2018માં આ મહોલ્લાનું નામકરણ બદલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેનો અમલ છેક આજે કરવામાં આવ્યો છે. આજે સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં હિન્દુસ્તાની મહોલ્લોની તકતીનું અનાવરણ કરાયું હતું જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
What's Your Reaction?






