સુરત પાલિકાના ઉધના ઝોનમાં ડ્રેનેજની કામગીરીમાં અખાડા કરનારા અધિકારીનો ડ્રેનેજ કમિટીમાં ઉઘડો લેવાયો

Jul 29, 2025 - 19:00
સુરત પાલિકાના ઉધના ઝોનમાં ડ્રેનેજની કામગીરીમાં અખાડા કરનારા અધિકારીનો ડ્રેનેજ કમિટીમાં ઉઘડો લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Corporation : સુરત પાલિકાના ઉધના ઝોનના અધિકારીઓની નબળી કામગીરીને પગલે સંખ્યાબંધ પરિવારો ડ્રેનેજ જોડાણથી વંચિત છે તેવી ફરિયાદ બાદ સોમવારે મળેલી ડ્રેનેજ કમિટીની બેઠકમાં ડ્રેનેજની કામગીરી માટે અખાડા કરનારા અધિકારીઓનો ઉધડો લેવાયો હતો. ઉધના ઝોનમાં 50 થી વધુ સોસાયટીઓમાં ડ્રેનેજની સુવિધા નથી તેવી સોસાયટીઓમાં તાત્કાલિક ડ્રેનેજની કામગીરી કરવા માટે સુચના આપવામા આવી છે.

સુરત મહાનગરપાલિકાની સોમવારે ડ્રેનેજ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલાએ શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજ અને ગટરના ઢાંકણા ના સમાન રંગ હોવાને કારણે કેટલીક મુશ્કેલી પડે છે તે દુર કરવા માટે ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનના ઢાંકણાના સમાન રંગને પણ દૂર કરીને બંને લાઈનનાં ગટરના ઢાંકણાને અલગ-અલગ રંગ કરવાની સૂચના આપી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0