સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડિંડોલી એક શાળાના શિક્ષકોએ જ શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. સરકારના નિયમ મુજબ આચાર્યએ સપ્તાહમાં 18 પીરીયડ લેવાનો હોય છે પરંતુ આ શાળાના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ પિરિયડ લેતા નથી. આ ઉપરાંત આક્ષેપ કરવામા આવ્યો છે કે આચાર્ય તાસ લેતા નથી અને મંજુરી વિનાના સાથી શિક્ષકોને બોલાવે છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડિંડોલી 32 નંબરની શાળા મરાઠી માધ્યમની છે. આ શાળાના શિક્ષકોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર લખી આચાર્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ કરી છે.
What's Your Reaction?






