સિંહોના ગંભીર રોગ માટે વન નહીં, પણ રેવન્યુ વિસ્તાર ઘાતક પૂરવાર

Jun 1, 2026 - 07:30
સિંહોના ગંભીર રોગ માટે વન નહીં, પણ રેવન્યુ વિસ્તાર ઘાતક પૂરવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વનમંત્રી જશાધાર અને જામવાળા હોસ્પિટલ ખાતે દોડયા : 500થી વધુ સિંહોનું ડી-ટીકિંગ, ડી-વોમગ કરવું પડયું, રોગનાં કારણ અંગેનો ગુજરાત બાયોટેક. રિસર્ચ સેન્ટરનો રિપોર્ટ બાકી

જૂનાગઢ, : ગીર સેન્ચ્યુરી બહારનો રેવન્યુ વિસ્તાર વધુ એકવાર વનમંત્રીના મત મુજબ સિંહો માટે ઘાતક સાબિત થયો છે.  જંગલમાં કોઈ ઘટના બની નથી પણ જે ગંભીર ઘટના બની છે તે રેવન્યુ વિસ્તારમાં બની છે તેવું વનમંત્રી સ્વીકારે છે. એક બાદ એક સિંહોના મોત મુદ્દે વનમંત્રીએ જામવાળા, જશાધાર એનિમલ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દાવો કર્યો છે કે, પરિસ્થિતિ અત્યારે સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને ચિંતાનું કોઈ કારણ નથી પણ સિંહો માટે જંગલ ટુંકુ પડતું હોવાથી રેવન્યુ વિસ્તારમાં રહેવા મજબુર છે અને રેવન્યુ વિસ્તાર જ રોગનું કારણ બન્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0