શાહપુરમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, શનિવાર
શાહપુરના યુવકે બે વર્ષ પહેલા શિમલા જવા માટે ટુર ઉપાડી હતી જેમાં નુકસાન થયું હતું. જેને લઇને યુવકે તેના પરિચીત લોકો પાસેથી રૃા. ૮.૬૦ લાખ વ્યાજે લીધા હતા. યુવકે મૂડી અને વ્યાજ ચૂકવ્યા છતા વધુ વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરતા હતા અને મારી નાખવાની તથા તેમના છોકરાને ઉપાડી જવાની ધમકી આપતા હતા. જેથી કંટાળીને યુવકે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
What's Your Reaction?






