વડોદરા શહેરમાં કાન્હા સિટીના રહીશો દ્વારા પાણીની સમસ્યા મુદ્દે સૂત્રોચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : વડોદરા શહેર આજવા રોડ પર આવેલ કાન્હા સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ પીવાના પાણીની સમસ્યાને લઈને સૂત્રોચાર કરી રજૂઆત કરવામા આવી છે.
કાન્હા સિટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ નહી આવતા આજે કાન્હા સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ આવી સૂત્રોચાર કર્યા હતા. રહીશો દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓ આવીને ફોટા પાડી જાય છે અને પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ પાલિકા કચેરીએ પહોંચી સૂત્રોચાર કર્યા હતા અને વેરા ભર્યા છતાં પાણીની સુવિધાઓ ન આપતા વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ કાન્હા સિટીમાં 50 થી વધુ પરિવારો રહે છે. હાલ ઉનાળાની ઋતુમાં પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. જો વહેલી તકે પાણીની સમસ્યા દૂર નહી થાય તો સોસાયટીના રહીશો આવનાર ચૂંટણીનો વિરોધ કરશે.
What's Your Reaction?






