વડોદરા: નવજીવન હાઉસિંગ બોર્ડના મકાનો પાસે પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ
વડોદરા શહેરના આજવા રોડ નવજીવન સોસાયટી પાસે છેલ્લા બે ત્રણ દિવસથી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી.વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોની પાણીની લાઈન જૂની થઈને કટાઈ જવાથી ઠેક ઠેકાણે લીકેજ થવાથી ભંગાણ સર્જાય છે. પરિણામે સ્થાનિક રહીશોને પીવાનું પાણી મેળવવામાં મુશ્કેલી પડે છે. પરિણામે સ્થાનિક વોર્ડ કચેરી સહિત ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી ખાતે લોકો વારંવાર ફરિયાદ કરવા પહોંચે છે. પરંતુ તંત્ર દ્વારા આવી ફરિયાદોનો કોઈ ચોક્કસ નિકાલ કરવામાં આવતો નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરના આજવા રોડ નવજીવન સોસાયટી પાસે છેલ્લા બે ત્રણ દિવસથી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી.
વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોની પાણીની લાઈન જૂની થઈને કટાઈ જવાથી ઠેક ઠેકાણે લીકેજ થવાથી ભંગાણ સર્જાય છે. પરિણામે સ્થાનિક રહીશોને પીવાનું પાણી મેળવવામાં મુશ્કેલી પડે છે. પરિણામે સ્થાનિક વોર્ડ કચેરી સહિત ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી ખાતે લોકો વારંવાર ફરિયાદ કરવા પહોંચે છે. પરંતુ તંત્ર દ્વારા આવી ફરિયાદોનો કોઈ ચોક્કસ નિકાલ કરવામાં આવતો નથી.