વંદે ભારત એક્સપ્રેસને વલસાડમાં વધારાનું સ્ટોપેજ અપાતા 5 સ્ટેશન પરના આ ટ્રેનના સમયમાં ફેરફાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Additional stoppage In Valsad : કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા થોડા દિવસ પહેલા વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20901/20902 ને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ અપાયું છે, ત્યારે અન્ય પાંચ સ્ટેશન પર ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. રેલવે વિભાગે ટ્રેનના સમયમાં ફેરફારને લઈને જાણકારી આપી છે.
ગાંધીનગરથી ઉપડનારી ટ્રેનના સમયમાં ફેરફાર
રેલવે વિભાગ મુજબ, વંદે ભારત એક્સ્પ્રેસને વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ અપાતા આગામી 27 અને 28 જુલાઈથી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ ટ્રેનના સમયમાં ફેરફારો અમલમાં આવશે.
What's Your Reaction?






