રિસામણે આવેલી સાળીના પતિની સાઢુભાઈએ કરી હત્યા, જામનગરમાં બની ઘટના

Sep 1, 2025 - 01:30
રિસામણે આવેલી સાળીના પતિની સાઢુભાઈએ કરી હત્યા, જામનગરમાં બની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar News : જામનગરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં આજે રવિવારે (31 ઓગસ્ટ) એક યુવાન પર છરી અને પાઇપ વડે હુમલો કરતાં યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતક યુવાનની પત્ની રિસામણે બેઠી હોવાથી જામનગરમાં જ રહેતા તેના સાઢુભાઈ અને તેના બે પુત્રએ આ બાબતે તકરાર રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યા અંગે ગુનો નોંધી, ફરાર ત્રણેય આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

આ હત્યાના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતો રોહિત દિલાભાઈ પરમાર નામનો 32 વર્ષનો યુવાન આજે રવિવારે બપોરે 1:30 વાગ્યાના અરસામાં પાણાખાણ વિસ્તારમાં ઉભો હતો. આ દરમિયાન રોહિતના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પુરબીયા અને તેના બે પુત્રો સુજલ અને વિમલ ત્યાં આવીને રોહિત પર હુમલો કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0