રાજકોટ બાયપાસ રોડ પર રહિશો અને મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 4 થી 5 સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં રોષ
- ચક્કાજામ બાદ મનપા તંત્ર સફાળું જાગતા બીજે દિવસે સવારે તંત્ર દ્વારા કામગીરી હાથધરાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા તમામ વોર્ડ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ અમુક વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે રાજકોટ બાયપાસ રોડ પર આવેલ પાંચ થી છ સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનીક રહિશો અને મહિલાઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે જે અંગે કોઈ ઉકેલ ન આવતા સ્થાનીક રહિશોએ બાયપાસ રોડ પર રાત્રે ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ બાયપાસ રોડ પર આવેલ નમન પાર્ક, દેવ સોસાયટી, અમન સોસાયટી સહિતના અમુક રહેણાંક વિસ્તારોમાં અનેક પરિવારો વર્ષોથી વસવાટ કરે છે પરંતુ આ તમામ વિસ્તાોરમાં છેલ્લા ઘણા વર્ષોથી તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતા રહિશો અને મિલાઓ ત્રસ્ત બની ગયા છે. જેમાં છેલ્લા ધણા વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ સોસાયટીઓમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાઈ રહેતા મહિલાઓ, વૃધ્ધો, નાના બાળકો તેમજ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે.
What's Your Reaction?






