મેયર માટે પ્રથમ 2.6વર્ષ એસસી અનામત, બીજી ટર્મ ઓબીસી મહિલાના ફાળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર મહાપાલિકા મેયર પદ માટે રોટેશન જાહેર
રોટેશન જાહેર થતાં એસસી સમુદાયના સંભવિત ઉમેદવારો અને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૃ થઈ
સુરેન્દ્રનગર - ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ સચિવાલય દ્વારા એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આગામી મેયરનું પદ અનુસૂચિત જાતિ ( એસસી) માટે અનામત રાખવામાં આવ્યું છે.
ગાંધીનગર સચિવાલયમાંથી બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશનમાં રાજ્યની નવ મહાનગરપાલિકાઓની સૂચિ જાહેર કરીને મેયરપદ માટેની અનામત કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટ માટે આગામી સમયમાં મેયર તરીકેની જવાબદારી એસસીસમુદાયના નેતાને સોંપવામાં આવશે.
What's Your Reaction?






