ભાજપ કાઉન્સિલર સહિતના ચાર વ્યક્તિઓ અડચણ ઊભી ન કરે તે માટે સિટી પીઆઇને રજૂઆત

Jun 23, 2025 - 05:30
ભાજપ કાઉન્સિલર સહિતના ચાર વ્યક્તિઓ  અડચણ ઊભી ન કરે તે માટે સિટી પીઆઇને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



શહેરમાં અશાંત ધારાના વિવાદિત કેસમાં હાઇકોર્ટે વડોદરા પોલીસને તાકીદે ઉકેલ લાવવા હુકમ કર્યો હોય જેના અનુસંધાને ફરિયાદીએ ભાજપ કાઉન્સિલર સહિતના ચાર આરોપીઓ  અડચણ ઊભી ન કરે અથવા કરાવે તે અંગે સિટી પીઆઇને અરજી કરી છે.

અશાંત ધારામાં સમાવિષ્ટ ફતેપુરા મેઈન રોડ પર ચાંપાનેર દરવાજા પાસેની ટીકા નં. ૧૮/૩, સર્વે નં. ૧૬૦ વાળી હિન્દુ સમુદાયના વ્યકિતની દુકાન ઓનાલી એઝાઝુદીન ઘોલકાવાલા (રહે - બદરી મહોલ્લો, વાડી) તથા ઈકબાલહુસૈન અસગરઅલી ટીનવાલા ( રહે - રામપાર્ક, આજવા રોડ )એ ખરીદયા બાદ પણ ભારે વિરોધ અને વિવાદના વમળ વચ્ચે હાઈકોર્ટમાં પણ તમામ તબક્કે જીત મેળવ્યા બાદ પણ આજે ૯ વર્ષ પછી પણ આ લઘુમતી વ્યકિતઓ પોતાની દુકાન ખોલી શક્યા નથી કે તેની રોજગારી શરૂ કરી શક્યા નથી. સ્થાનિક રહીશો અને આડોશ-પાડોશના વિરોધ અને તેને કોઇપણ ભોગે દુકાન નહી ખોલવા દેવાતાં આખરે આ લઘુમતી વ્યક્તિઓ ફરી હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી હતી. જેમાં તેમણે દુકાન ખોલવા કે શરૂ નહી કરવા દેવામાં રોડા નાંખનાર અને અંતરાય પેદા કરનાર રાજેશ કાયશ પૌવાવાલા ,અજય કાયશ પૌવાવાલા, ભાજપના વોર્ડ નં. 14 ના કાઉન્સિલર સચિન પાટડીયા , પૂર્વ કાઉન્સિલર મિનેષ શાહ  તથા અન્ય ઈસમો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0