ભરૂચના ડહેલી ગામની કરૂણતા, પુલના અભાવે નદીના ઘોડાપુર વચ્ચેથી નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bharuch News : ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદી-નાળા, પુલ-કેનાલ બંને કાંઠે વહેલા લાગ્યા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ સુધી લોકો અનેક સુખસગવડ અને સુવિધાથી વંચિત છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના આદિવાસી વસ્તીવાળા ડહેલી ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. જ્યાં પુલના અભાવે નદીના ઘોડાપુર વચ્ચેથી નનામી લઈ જવા માટે ગ્રામજનો મજબૂર થયા હતા.
વિકસિત ગુજરાતની ફાંકા-ફોજદારીને ઉઘાડી પાડતી ઘટના ભરૂચના વાલિયાથી સામે આવી છે. વાલિયા તાલુકાના ડહેલી ગામે ઘણા વર્ષોથી પુલ ન હોવાથી ગ્રામજનો ચોમાસાની ઋતિમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
What's Your Reaction?






