બીજી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિએ ત્રીજુ લગ્ન કરતા મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંકલેશ્વરની ગ્રીનપાર્ક સોસાયટી ખાતે બીજી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિએ ત્રીજુ લગ્ન કરવા મામલે બે પરિવારના સભ્યો વચ્ચે થયેલ મારામારી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરની વીટી કોલેજ પાસે રહેતા અને બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા અમીન મોતીવાલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા ત્રણ લગ્ન થયા છે. બીજા લગ્ન નસવાડીની રોજીનાબાનું મેમણ સાથે થયા હતા. ગઈકાલે મારા ઘરે પત્ની રોજીના અને તેની માતા શાહિદા મારા પિતા સાથે ઝઘડો કરી રહ્યા હતા. તેમને છોડાવવા માટે મે તથા મારી બહેન વચ્ચે જતા અમારી સાથે પણ ઝપાઝપી કરી હતી. અને અમને ધમકી આપી હતી કે, નસવાડીમાં આવશો તો છોડીશું નહીં. અમારી વચ્ચે ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે.
What's Your Reaction?






