બનાસકાંઠામાં રામેશ્વર મંદિરમાં શિવલિંગ પર પડી વીજળી, જળાધારીના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઊડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Palanpur News : ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી ભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ-યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબક્યો છે, ત્યારે આજે (26 જૂન) બનાસકાંઠાના પાલનપુરના રતનપુર ગામે રામેશ્વર મંદિર પર વીજળી પડતાં જળાધારીના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઊડ્યા હતા. વીજળી પડવાની ઘટનામાં શિવલિંગને કોઈ નુકસાન થયુ ન હતું.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરના રતનપુર ગામ ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં વીજળી પડી હતી.
What's Your Reaction?






