પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવો પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હરિધામ સોખડાથી અલગ થયેલ પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ યોગી ડિવાઈન સોસાયટીના ટ્રસ્ટીઓને સોપી દેવા સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરાયો હતો.
હરિધામ-સોખડાથી અલગ થઈને આત્મીય વિદ્યાધામ બાકરોલમાં રહેતાં પ્રબોધ જીવન જુથને કાનૂની લડતમાં નિષ્ફળતા સાંપડી છે. વડોદરાના સંયુક્ત ચેરિટી કમિશ્નર ડૉ. યોગીનીબેન સીમ્પીએ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ -૧૯૫૦ ની કલમ ૪૧-એ હેઠળના હુકમમાં પ્રબોધજીવન જૂથના ગણાતા વહીવટકર્તાઓને આત્મીય વિદ્યાધામનો વહીવટ અને સંચાલન યોગી ડિવાઈન સોસાયટીના ટ્રસ્ટીઓને સોંપી દેવા હુકમ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, હરિપ્રસાદ સ્વામીએ યોગી ડિવાઈન સોસાયટીનો પાયો નાખ્યો હતો. વર્ષ 2021માં હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મિલકત માટે આધ્યાત્મિક વારસદારો વચ્ચે જંગ શરૂ થયો હતો. પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીને જવાબદારી સોંપાઈ હતી.
What's Your Reaction?






