પોલીસ અટકાયતમાંથી બહાર આવ્યા બાદ રાજ શેખાવતે આપી પ્રતિક્રિયા

સમાજ માટે બલિદાન આપવા પણ તૈયાર છુઃ શેખાવત ભાજપ ઈચ્છે તો આ મુદ્દાનું નિરાકરણ આવી શકે: શેખાવત કરણી સેના ટિકિટ રદ્દ કરાવવા અડગ છેઃ શેખાવત રૂપાલાના વિરોધમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને અમદાવાદ સાયબર ક્રાઈમની ઓફિસમાંથી મોડી સાંજે છોડવામાં આવ્યા હતા. આ પહેલાં ગુજરાત કરણી સેના દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જો કે સવારે પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. જે પછી મોડી સાંજે કરણી સેનાના અધ્યક્ષને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી પોલીસ ગાડીમાં તેમના ઘરે લઇ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રાજ શેખાવતને તેમના ઘરે જ તેમને નજર કેદ કરવામાં આવ્યા છે. તેમજ તેમની ઓફિસની બહાર પણ પોલીસ બેસડાવામાં આવશે.સમાજનો તેમ રાજ્યની જનતાનો આભાર માન્યો પોલીસની અટકાયતમાંથી બહાર આવ્યા બાદ શેખાવતે કહ્યું કે, સમાજ માટે બલિદાન આપવા પણ તૈયાર છું. ભાજપ ઈચ્છે તો આ મુદ્દાનું નિરાકરણ આવી શકે. આગામી દિવસોમાં વિરોધની રણનીતિ ઘડવામાં આવશે. તેમજ કરણી સેના ટિકિટ રદ્દ કરાવવા અડગ છે. આ પહેલા અમદાવાદમાં મોડી સાંજે કરણીસેનાના અધ્યક્ષને છોડાવવા મોટી સંખ્યામાં કાર્યકરો સાયબર ક્રાઇમની ઓફિસ પહોંચી ગયા હતા. જ્યાં રાજ શેખાવતને છોડાવવાની માગ સાથે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ બહાર હનુમાન ચાલીસા અને રામ ધૂન બોલાવી હતી. કરણી સેનાના કાર્યકરોએ નારાબાજી સાથે જબરદસતી ગેટ ખોલી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો.ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો તેમજ મોડી સાંજે કરણીસેનાના અધ્યક્ષને છોડાવવા મોટી સંખ્યામાં કાર્યકરો સાયબર ક્રાઇમની ઓફિસ પહોંચી હનુમાન ચાલીસા અને રામ ધૂન બોલાવી હતી. જો કે, કાર્યકરો ગુસ્સે થતાં મામલો થાળે પાડવા પોલીસ રાજ શેખાવતને લઇને બહાર આવી હતી. રાજ શેખાવતે 10 મિનિટ રાહ જોવાનું કહેતા કાર્યકરો શાંત પડ્યા હતા. જ્યારે ક્ષત્રિય સમાજ ન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કૃત્યની હું નિંદા કરું છું અને હું ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે, આ કૃત્યમાં જે પોલીસકર્મી જવાબદાર છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા આવે. રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી હું વિનંતી કરૂ છું.

પોલીસ અટકાયતમાંથી બહાર આવ્યા બાદ રાજ શેખાવતે આપી પ્રતિક્રિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમાજ માટે બલિદાન આપવા પણ તૈયાર છુઃ શેખાવત
  • ભાજપ ઈચ્છે તો આ મુદ્દાનું નિરાકરણ આવી શકે: શેખાવત
  • કરણી સેના ટિકિટ રદ્દ કરાવવા અડગ છેઃ શેખાવત

રૂપાલાના વિરોધમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને અમદાવાદ સાયબર ક્રાઈમની ઓફિસમાંથી મોડી સાંજે છોડવામાં આવ્યા હતા. આ પહેલાં ગુજરાત કરણી સેના દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જો કે સવારે પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી.

જે પછી મોડી સાંજે કરણી સેનાના અધ્યક્ષને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી પોલીસ ગાડીમાં તેમના ઘરે લઇ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રાજ શેખાવતને તેમના ઘરે જ તેમને નજર કેદ કરવામાં આવ્યા છે. તેમજ તેમની ઓફિસની બહાર પણ પોલીસ બેસડાવામાં આવશે.

સમાજનો તેમ રાજ્યની જનતાનો આભાર માન્યો

પોલીસની અટકાયતમાંથી બહાર આવ્યા બાદ શેખાવતે કહ્યું કે, સમાજ માટે બલિદાન આપવા પણ તૈયાર છું. ભાજપ ઈચ્છે તો આ મુદ્દાનું નિરાકરણ આવી શકે. આગામી દિવસોમાં વિરોધની રણનીતિ ઘડવામાં આવશે. તેમજ કરણી સેના ટિકિટ રદ્દ કરાવવા અડગ છે.

આ પહેલા અમદાવાદમાં મોડી સાંજે કરણીસેનાના અધ્યક્ષને છોડાવવા મોટી સંખ્યામાં કાર્યકરો સાયબર ક્રાઇમની ઓફિસ પહોંચી ગયા હતા. જ્યાં રાજ શેખાવતને છોડાવવાની માગ સાથે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ બહાર હનુમાન ચાલીસા અને રામ ધૂન બોલાવી હતી. કરણી સેનાના કાર્યકરોએ નારાબાજી સાથે જબરદસતી ગેટ ખોલી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો.

ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો

તેમજ મોડી સાંજે કરણીસેનાના અધ્યક્ષને છોડાવવા મોટી સંખ્યામાં કાર્યકરો સાયબર ક્રાઇમની ઓફિસ પહોંચી હનુમાન ચાલીસા અને રામ ધૂન બોલાવી હતી. જો કે, કાર્યકરો ગુસ્સે થતાં મામલો થાળે પાડવા પોલીસ રાજ શેખાવતને લઇને બહાર આવી હતી. રાજ શેખાવતે 10 મિનિટ રાહ જોવાનું કહેતા કાર્યકરો શાંત પડ્યા હતા.

જ્યારે ક્ષત્રિય સમાજ ન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કૃત્યની હું નિંદા કરું છું અને હું ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે, આ કૃત્યમાં જે પોલીસકર્મી જવાબદાર છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા આવે. રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી હું વિનંતી કરૂ છું.