પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા 17 વર્ષના પુત્રએ કર્યો આપઘાત, સુરતના પાંડેસરા વિસ્તારની હચમચાવી દેનારી ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક 17 વર્ષીય કિશોરે તેના પિતાએ મોબાઈલ ફોન આપવાની ના પાડતા આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી વ્યાપી જવા પામી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં રહેતો આ કિશોર ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. જોકે, અભ્યાસમાં ધ્યાન આપવાના બદલે તે મોટાભાગનો સમય મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હતો. જેને લઈને તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલ ફોન આપવાની ના પાડી હતી.
What's Your Reaction?






