પહેલાં મને કામ કરવા દો, પછી જ તમારા બધા સવાલોના જવાબ આપીશ

Jan 11, 2025 - 00:30
પહેલાં મને કામ કરવા દો, પછી જ તમારા બધા સવાલોના જવાબ આપીશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મ્યુનિ. કમીશ્નરે શુક્રવારે ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ કચેરીના વિવિધ વિભાગો અને ઈમારતની ટેરેસનું પણ જાત નિરીક્ષણ કર્યુ હતુ. જયારે શહેરની સફાઈની સાથે સાથે સૌપ્રથમ કચેરીને સ્વચ્છ રાખવા પર ભાર મુકયો હતો.

SMCના કમીશ્નર તરીકે રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેને મુકવામાં આવ્યા છે. ત્યારે શુક્રવારે તેઓએ સુરેન્દ્રનગર મનપાના પ્રથમ કમીશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જેમાં કચેરીના વિવિધ અધિકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ તેઓએ મહાનગરપાલિકાના વિવિધ વિભાગો, કેમ્પસ અને ટેરેસની જાત મુલાકાત કરી હતી. શહેરને સ્વચ્છ રાખવાની સાથે સાથે તેઓએ સૌ પ્રથમ મનપા કચેરીને સ્વચ્છ રાખવા પર ભાર મુકયો હતો. જોકે, હાજર થયા બાદ તેઓને મળતી જોઈનીંગ લીવ પર તેઓ જવાના હોવાની ચર્ચા મનપાના કર્મચારીઓમાં ચાલી રહી છે. કમિશ્નરે હાજર થયાની જાણ થતા અધિકારીઓ અને ખાસ કરીને પત્રકારો તેમની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેઓએ પહેલા મને કામ કરવા દો, પછી તમારા બધા સવાલોના જવાબ આપીશ. તેમ જણાવ્યુ હતુ. બીજી તરફ શહેરમાં બે વખત સફાઈના આદેશો થયા છે. જયારે મુખ્ય રસ્તા અને માર્કેટ વિસ્તારમાં રાત્રિ સફાઈ પણ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાના વહીવટદાર કે. સી. સંપતે પણ શહેરીજનોને જયાં ત્યાં કચરો ન નાંખવા ટકોર પણ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0