નવરાત્રિમાં માણકોલ ગામમાં 70 વર્ષથી રંગભૂમિની નાટ્ય પરંપરા, અહીં ગરબા નથી રમાતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Navratri 2025: નવરાત્રિ રાતો ડિજિટલ બનીને શહેરના રસ્તાઓને હેવી ડેસિબલથી ધમરોળી રહી છે, ત્યારે સાણંદ પાસે આવેલા નાનકડા એવા માણકોલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંજ પડતા જ ગામના દરેક સભ્યો પોત-પોતાના પાથરણા લઈને ગામના ચોરે ભેગા થાય છે અને જુનવાણી નાટકો અને તેના સંગીતની અદભુત હાસ્યસભર મજા લે છે. એક 'દિવસ વીર માંગડાવાળો' તો બીજા દિવસે 'ભક્ત પ્રહલાદ' કે પછી 'એમ ખમ્મા મારા વીરા' જેવા નાટકો આજના મોબાઇલ યુગમાં અહીંના બાળકો અને મહિલાઓ સહિત પરિવારો માટે એક વરદાનરૂપ પ્રવૃત્તિ છે.
70 વર્ષથી ચાલે છે આ પરંપરા
માણકોલ ગામમાં નવરાત્રિના ચોથાથી લઈને નવમા નવરાત્રિ સુધી ચાલતી પાંચ નાટકોની પરંપરા 70 વર્ષથી ચાલે છે. આખા જિલ્લામાં દરેક ગામો નવરાત્રિમાં ગરબાના રંગે રંગાય છે ત્યારે માણકોલ ગામમાં રંગભૂમિનો રંગ ચડે છે.
What's Your Reaction?






