નકશા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સમિતિઓની રચના અંગે મહેસુલ વિભાગનો ઠરાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના મહેસુલ વિભાગે નકશા પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સ્તરીય, કાર્યવાહક અને જિલ્લા સ્તરીય સમિતિઓની રચના કરવા ઠરાવ કર્યો હતો.
ભારત સરકારે શહેરી વિસ્તારોમાં જમીન રેકર્ડ બનાવવાની મંજૂરી માટે ડીઆઈએલઆરએમપી (ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ) હેઠળ નક્શા (નેશનલ જીઓસ્પેશિયલ નોલેજ બેઝ્ડ લેન્ડ સર્વે ઓફ અરબન હેબિટેશન્સ) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટની એસઓપીની સૂચનાઓના સુચારૂ અમલીકરણ માટે રાજ્ય સ્તરીય સમિતિ, કાર્યવાહક સમિતિ અને જિલ્લા સ્તરીય સમિતિઓની રચનાની મંજૂરી માટે દરખાસ્ત વિચારણા હેઠળ હોય રાજ્ય સરકારના મહેસુલ વિભાગે સમિતિઓની રચના કરવાનો ઠરાવ કર્યો હતો.
What's Your Reaction?






