ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદમાં સાબરમતી બે કાંઠે, બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક ડેમો છલકાયા છે. જેમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદની સાબરમતી નદી બંને કાંઠે વહેલા લાગે છે. સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતાં રિવરફ્રન્ટ પરના નીચાણવાળા વિસ્તારો અને વોક-વે પર પાણી ફરી વળ્યા છે. જેમાં બાકરોલ ગામ નજીક નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા 25 જેટલાં શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યુ
What's Your Reaction?






