જૂનાગઢ: આર્મીમેન મિત્રોને બચાવવા જતા ઓઝત નદીના પ્રવાહમાં તણાયા: તહેવાર ટાણે શોકનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Junagadh News: દીવાળી વેકેશન દરમિયાન જૂનાગઢના વંથલી તાલુકા નજીક આવેલા ટીકર ગામ પાસેની ઓઝત નદીમાં એક દુઃખદ ઘટના સર્જાઈ છે. જેમાં પોતાના મિત્રોનો જીવ બચાવવા જતા એક આર્મીમેનનું નદીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાર મિત્રો દીવાળી વેકેશનમાં ટીકર ગામ પાસેની ઓઝત નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન ત્રણ મિત્રો પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. આર્મીમેન ભરતભાઈ લક્ષ્મણભાઈ ભેટારીયાએ પોતાના સાથી મિત્રોનો જીવ બચાવી લીધો હતો, પરંતુ આ પ્રયાસમાં તેઓ પોતે જ નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા અને તેમનું ડૂબી જવાથી મોત થયું હતું.
What's Your Reaction?






