SOU નજીક સિવિલ હોસ્પિટલમાં શબવાહિની સુદ્ધાં નહી, મૃતદેહોને ખાનગી વાહનમાં લઈ જવા પડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Statue Of Unity News: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જ્યાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તેનાથી માત્ર 4-5 કિલોમીટરના અંતરે આવેલ ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામમાં ગઈકાલે (બુધવારે) એક દુઃખદ ઘટના બની હતી. ખેતરમાં કામ કરી રહેલા સ્થાનિક લોકો પર વીજળી પડતાં બે વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાના મૃતદેહને ગઈકાલે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને આજે (ગુરૂવારે) તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પીએમ બાદ જ્યારે પરિવારજનોએ મૃતદેહોને ઘરે લઈ જવા માટે સરકારી 'શબ વાહિની' ની માંગણી કરી, ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી. જાણવા મળ્યું કે તાલુકાના વડામથક કહેવાતી ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સબ વાહિનીની સુવિધા જ ઉપલબ્ધ નથી.
What's Your Reaction?






