જીએસએફસીના બરતરફ કામદારોએ વેતન મુદ્દે કંપની ખાતે ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જીએસએફસી કંપનીમાંથી બરતરફ કામદારોને વેતન ચૂકવવા કોર્ટનો આદેશ હોવા છત્તા કંપનીએ કર્મચારીઓના વેતન ઉપર પાછલા છ મહિનાથી બ્રેક લગાવતા કર્મચારીઓએ કંપની ખાતે ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો.
જીએસએફસી કંપનીના વર્ષ 2001થી ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા 105 જેટલા કામદારોને વર્ષ 2020માં બરતરફ કરાયા હતા. કંપનીના વલણથી નારાજ કર્મચારીઓએ નામદાર કોર્ટ સમક્ષ દાદ માંગતા કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને તેઓને વેતન ચૂકવવાનો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય 30 જેટલા કર્મચારીઓનો દાવો હાલ પેન્ડિંગ છે. આદેશ મુજબ કંપની તરફથી કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવી રહ્યું હતું. પરંતુ, વર્ષ 2025 ફેબ્રુઆરીથી કંપનીએ કર્મચારીઓના વેતન ચુકવણા ઉપર રોક લગાવી હતી. પરિણામે કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ બની હતી.
What's Your Reaction?






