જામનગરના લાલપુરમાં નશાકારક ચોકલેટનો જત્થો ઝડપાયો, એક વેપારીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વેપારી પોતાની દુકાનમાં નાશાકારક ચોકલેટનું વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે SOGએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યા હતા અને વેપારીની દુકાનમાંથી 1845 નંગ નશાકારક મનાતી ચોકલેટ કબજે કરી લીધી છે. ઝડપાયેલો જથ્થો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયો છે. પોલીસે નશાકારક ચોકલેટનું વેચાણ કરનાર એક વેપારીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરની SOG શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલી મહાવીર હોટલ કે જેના સંચાલક સુરેશ જીવરાજભાઈ હરિયા દ્વારા પોતાની દુકાનમાં કેટલીક ચોકલેટની સાથે-સાથે નશાકારક ચોકલેટ રાખીને તેનું પણ વેચાણ કરી રહ્યો છે.
What's Your Reaction?






