જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના પ્રોફેસરને શેરબજારમાં વધુ વળતરની લાલચ આપી રૂપિયા 50 લાખ પડાવી લેવાનું પ્રકરણ

Jan 20, 2025 - 13:30
જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના પ્રોફેસરને શેરબજારમાં વધુ વળતરની લાલચ આપી રૂપિયા 50 લાખ પડાવી લેવાનું પ્રકરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શેર બજારમાં રોકાણા બહાને ચીટર ટોળકી નો શિકાર બન્યા હતા. જેઓએ પોતાની તેમજ પોતાના પત્નીની રૂપિયા ૫૦ લાખની રકમ ગુમાવ્યા ની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવી હતી, જેમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ પોલીસની ટુકડીએ છેક ઈન્દોર સુધી તપાસ નો દોર લંબાવી એક આરોપીને ઉપાડી લીધો છે, અને તેની પાસેથી એક કાર, લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે.

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક કિંગ પેલેસમાં રહેતા અને બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શામજીભાઈ ડાયાભાઈ અટારા (ઉંમર વર્ષ ૭૨) કે જેઓ ઓનલાઈન  શેર બ્રોકિંગ ના બહાને ચિટર ટોળકીનો શિકાર બન્યા હતા, અને તેઓએ શેર બજારમાં રોકાણના બહાને ૫૦ લાખ જેવી માતબર રકમ ગુમાવી હોવાનું સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં જાહેર કર્યું હતું. જેમાં એક મહિલા સહિત ત્રણ ચીટર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0