જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલો કરનાર ઘર માલિક સામે ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Crime : જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ગઈકાલે બપોરે રસોઈ કામ કરવા આવેલી એક મહિલા ઉપર ઘર માલિકે છરી વડે હુમલો કરી દઈ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે બનાવમાં બંને ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે, જયારે ઇજાગ્રસ્ત મહિલાના પતિની ફરિયાદના આધારે પોલીસે ઘરમાલિક સામે ગુન્હો નોંધ્યો છે. આ હુમલાના બનાવે જામનગર શહેરમાં ભારે રહસ્ય સર્જયું છે.
આ હુમલાના બનાવી વિગત એવી છે કે જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં આદિત્ય પાર્કમાં રહેતી ભાવનાબેન ભાવેશભાઈ ચૌહાણ નામની 40 વર્ષની મહિલા કે જે છેલ્લા આઠેક વર્ષથી જામનગરના પટેલ કોલોની શેરી નંબર-4 માં રહેતા મુકેશભાઈ ત્રિભુવનભાઈ અગ્રાવતના મકાનમાં રસોઈ કામ કરવા જાય છે, જ્યાં ગઈકાલે બપોરે લોહીયાળ જંગ ખેલાયો હતો.
ભાવનાબેન કે જે ઘણા દિવસથી રજા ઉપર હતી, પરંતુ ગઈકાલે પોતાનો જન્મદિવસ હતો, અને ફરીથી રસોઈ કામ કરવા માટે નોકરી પર ગઈ હતી, જયાં બપોરના સમયે ભાવનાબેન અને ઘર માલિક મુકેશભાઈ વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ મુકેશ અગ્રાવતે પોતાના ઘરમાંથી છરી લઈને ભાવનાબેનના ગળા પર તેમજ પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.
What's Your Reaction?






