ગોધરાની મહિલા તાંત્રિકે વિધીના નામે વેપારી પાસેથી રૂ.૬૭ લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ફરસાણની દુકાન ધરાવતા વેપારીની દુકાન દબાણમાં જવાની હોવાથી તુટી જવાની તેમજ અન્ય દુકાન નામે થઇ જાય તે માટે એક મહિલા તાંત્રિકે વિધી કરવાના નામે તેમજ દુકાનની નીચે કરોડોનું ધન છુપાયેલું છે. જે અપાવવાની લાલચ આપીને વિવિધ વિધીના નામે કુલ ૬૭ લાખની માતબર રકમની છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુળ ગોધરાની મહિલા તાંત્રિકે મેલી વિદ્યાના નામે અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિરમગામમાં માંડલ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષીય દિનેશભાઇ શેઠ વિરમગામ માંડલ રોડ પર ફરસાણની દુકાન ધરાવે છે.
What's Your Reaction?






