ગુજરાતમાં માર્ગો-પુલો-હાઇવેનું યુદ્ધના ધોરણે રિપેરિંગનો આદેશ, કોન્ટ્રાક્ટરની બેદરકારી નહીં ચલાવાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Monsoon : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે (7 જુલાઈ) રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા હાઇવે, ગ્રામીણ અને શહેરી માર્ગો તેમજ પુલોની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી. તેમણે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરીને માર્ગોને પુનઃ પૂર્વવત કરવા અને કામોમાં ગુણવત્તા જળવાય તેની ખાતરી કરવા અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.
વરસાદ વગરનો એક પણ દિવસ વ્યર્થ ન જાય
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોવી જોઈએ નહીં. તેમણે તાકીદ કરી હતી કે, "વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રિપેરિંગ કામગીરી ચાલુ જ રહે.
What's Your Reaction?






