કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પંચમહાલ પ્રવાસ રદ, જુઓ VIDEO

Jun 28, 2025 - 18:00
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પંચમહાલ પ્રવાસ રદ, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે તેઓ પંચમહાલ જિલ્લાના પ્રવાસે જવાના હતા, પરંતુ ખરાબ વાતાવરણને કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જેને લઈને અમિત શાહે પંચમહાલના લોકોની માફી માગી છે. વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ખરાબ વાતાવરણને કારણે આવી ન શક્યો. આજે પંચમહાલના ઈતિહાસમાં મોટો દિવસ છે. ગુરુ ગોવિંદના નામે યુનિવર્સિટી બની છે. 2015માં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકોને શુભેચ્છા પણ તેમને પાઠવી છે.

આદ્રોડા ગામે અનેકવિધ સંકુલનું કરાયું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાના, બાવળા તાલુકાના આદ્રોડા ગામ ખાતે અનેકવિધ સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સરકારી દવાખાનું, એડીસી બેંક, સેવા સહકારી મંડળી, ગોડાઉન અને કોમ્યુનિટી હોલ વગેરેનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર સુજીત કુમાર, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલ સહિતના જિલ્લા ભાજપાના પદાધિકારીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આદ્રોડા ગામ ખાતેનું આ સંકુલ આશરે રૂપિયા અઢી કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. જેમાં એક જ સંકુલમાં લોકોને આરોગ્ય, બેન્કિંગ, સહકારી અને સામાજિક કાર્યક્રમો માટેની સુવિધાઓ ઉપલબ્ધ થશે અને લોકોને અનેક રીતે બહુ ઉપયોગી બનશે તેમ ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0